Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝાલોદનાં કલજીની સરસવાણી ગામે તળાવમાં ન્હાવા પડેલ પિતરાઈ ભાઈ-બહેન ઉંડા પાણીમાં ડુબી જતાં મોત નિપજ્યાં

  • June 15, 2024 

દાહોદનાં ઝાલોદ તાલુકાનાં કલજીની સરસવાણી ગામે એક તળાવમાં ન્હાવા પડેલા એક સાત વર્ષિય અને અન્ય એક 12 વર્ષિય બે માસુમ પિતરાઈ ભાઈ-બહેન તળાવના ઉંડા પાણીમાં ડુબી જવાના કારણે બંને બાળકોનાં મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયેલી પોલીસે બંને બાળકોના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે હતું.


ગત તારીખ 13નાં જુનના રોજ ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે મહુડી ફળિયામાં રહેતાં ભવ્યભાઈ સુરેશભાઈ વસૈયા (ઉ.વ.આશરે 7) અને શ્રૃતિબેન હીંમતભાઈ વસૈયા (ઉ.વ.આશરે 12) આ બંને પિતરાઈ ભાઈ-બહેન ગામમાં આવેલ બસ સ્ટેશનની પાછળ તળાવમાં સવારના અગીયારેક વાગ્યાના આસપાસ ન્હાવા ગયાં હતાં. જ્યાં બંને બાળકો ન્હાતા ન્હાતા તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક લોકોને થતાં સ્થાનીક લોકો સ્થળ પર દોડી ગયાં હતાં.


ઘટનાની જાણ બાળકોના પરિવારજનોને થતાં તેઓ પણ સ્થળ પર દોડી ગયાં હતાં. સ્થાનીક તરવૈયાઓની મદદથી બંન્ને બાળકોના મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. બંને બાળકોના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.ઘટના અંગે સુભાષભાઈ કશનાભાઈ વસૈયાએ ઝાલોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News