Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં કોલસાનું સંકટ : ભારતીય રેલવેએ દેશનાં વિવિધ ઝોનમાં 657 મેલ-પેસેન્જર ટ્રેન રદ્દ કરી

  • April 29, 2022 

દેશમાં કોલસાનું સંકટ વધારે ગાઢ બન્યું જેને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ દેશના વિવિધ ઝોનમાં 657 મેલ-પેસેન્જર ટ્રેન રદ્દ કરી છે. તેના સ્થાને માલગાડી ઓનું પરિવહન વધારવામાં આવ્યું છે જેથી વીજ ઉત્પાદક પ્લાન્ટ્સને ઝડપથી કોલસો પૂરો પાડી શકાય. દેશના અનેક પાવર પ્લાન્ટ્સ પાસે જરૂરી 21 દિવસ કરતાં પણ ઓછો કોલસાનો ભંડાર બચ્યો છે. અમુક સ્થળોએ તો કોલસાનો માત્ર એક જ દિવસનો સ્ટોક બચ્યો છે.


રેલવેના તાજેતરના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આગામી આદેશ સુધી 42 ટ્રેન રદ્દ કરવામાં આવે છે. તે પૈકીની 34 ટ્રેન સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે (SECR) અને 8 ટ્રેન નોર્ધન રેલવે ઝોનની છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સાંસદો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારબાદ છત્તીસગઢની રદ્દ કરવામાં આવેલી 3 ટ્રેનને રિસ્ટોર કરવામાં આવી છે. ભારતના થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાના સ્ટોક મામલે મોટું સંકટ સર્જાયું છે. આ કારણે કોલસાના પરિવહન માટે યુદ્ધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application