Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીમાં વાતાવરણ બદલાયું : ભર ઉનાળે 15.3 કિમીની ઝડપે પવન ફૂંકાયો

  • May 13, 2022 

નવસારીમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ બદલાયું છે અને તાપમાન ઘટ્યું છે તેમજ ભેજનું પ્રમાણ વધ્યું છે તો પવન ફૂંકાઈ રહ્યો છે. છેલ્લા 6 થી 7 દિવસથી પવન 5 થી 7 કિમિ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયા બાદ ગુરુવારે તો પવનની ગતિમાં ભારે વધારો થયો હતો અને દિવસ દરમિયાન સરેરાશ 15.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો.



સમગ્ર ઉનાળા દરમિયાન સૌથી વધુ પવનની ગતિ ગુરુવારે નોંધાઇ હતી. કેટલીક જગ્યાએ ઝાડની ડાળી પડી હતી તો જિલ્લા સેવા સદન ખાતે મુકેલ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થયું હતું. તાપમાનમાં ઘટાડો થઈ સવારે 28 ડિગ્રી અને બપોરે પણ માત્ર 34 ડિગ્રી જ નોંધાયું હતું. બીજી તરફ હવામાં ભેજનું પ્રમાણ સવારે 89 ટકા અને બપોરે પણ 71 ટકા રહેતા ઉકળાટનો અનુભવ લોકોએ કર્યો હતો. જોકે પવનને લઈ રાહત જરૂર મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application