તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં સાંઢકુવા ગામે પ્રાથમિક શાળાના બાળકોએ એકાએક રતન જ્યોતના ઝેરી બી ખાઈ જતાં તેમની તબિયત લથડી ગઈ હતી. તમામ બાળકોને તાબોડતોડ ઈમરજન્સી સેવા ૧૦૮ની મદદથી સારવાર માટે વ્યારાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની તબીયત સ્થિર હોવાનું જાણવા મળેલ છે.
બનાવની વિગત એવી છે કે, તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં સાંઢકુવા ગામની પ્રાથમિક શાળામાં આજરોજ કેટલાક બાળકો રમી રહ્યા હતા. તે સમયે ૨૬ જેટલા બાળકોએ કોઈ ખાવાની ચીજ વસ્તુ સમજી રતન જ્યોતના ઝેરી બી ભૂલમાં ખાઈ લીધા હતા. જોકે બી ખાવાથી બાળકોની તબિયત અચાનક બગડી હતી અને ઉલ્ટી શરૂ થતાં તમામને ૧૦૮ની મદદથી વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. બાળકોનાં વાલીઓ પણ દવાખાને પહોંચી ગયા હતા. તમામ ૨૬ જેટલા બાળકોને હોસ્પિટલમાં તત્કાલીક સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ તમામની તબિયત સુધારા પર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application