અંકલેશ્વરની હાઈવે પર યુપીએલ-૧ કંપની પાસેથી ટેન્કરમાંથી ચાલકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યાની આશંકા સાથે તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, વલસાડથી અંકલેશ્વર આવેલ ટેન્કરનાં ચાલકે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર યુપીએલ-૧ કંપની પાસે અંકલેશ્વરથી ભરૂચના સર્વિસ રોડ ઉપર વાહન પાર્ક કર્યું હતું.
ત્યારબાદ ૨૪ કલાકથી ટેન્કર એક જ પરિસ્થિતિમાં રહેતા સ્થનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર બી-ડિવિઝન અને ભરૂચ એલ.સી.બી.ની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ કરતા ચાલકનો મૃતદેહ કેબિનમાંથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતદેહ પર ઈજાના કેટલાક નિશાન જોવા મળ્યા હતા. તો સાથે જ ડ્રાઈવર પાસે રહેલ ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો પણ થોડી દૂરથી મળી આવ્યા હતા. જેમાં મૃતકનું નામ હોરીલાલ યાદવ અને તે ઉત્તરપ્રદેશ તરફનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે જેથી પોલીસે હત્યાની આશંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application