Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા APMCમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફની વરણી થઈ

  • November 09, 2023 

વ્યારાની APMCની ધી ગુજરાત એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ રૂલ્સ 1965ના નિયમ-31 (3) મુજબ ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચૂંટણી નાયબ નિયામક ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજીસ્ટર સહકારી મંડળીઓ, સુરતના અધ્યક્ષપણા હેઠળ તારીખ 08/11/2023ના રોજ બપોરે યોજાઇ હતી. જેમાં 16 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વ્યારાની કમિટીમાંથી ચેરમેનના પદ માટે ગણેશભાઈ જયસિંહભાઈ ચૌધરીની દરખાસ્ત પ્રવીણભાઈ નમલાભાઇ ગામીત તરફથી મૂકવામાં આવતા જે દરખાસ્તને મધુસુદન ચીમનભાઈ ગામીત તરફથી ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. જયારે વાઈસ ચેરમેનના પદ માટે ચંદ્રસિંહ કાંતિલાલ પટેલની દરખાસ્ત મનોજભાઈ હીરાભાઈ પટેલે મુકતા જે દરખાસ્તની જયેશભાઈ કનુભાઈ ચૌધરી તરફથી ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. APMC વ્યારાની પ્રથમ ટર્મ માટે ચેરમેન તરીકે ગણેશભાઈ જયશીભાઈ ચૌધરી અને વાઈસ ચેરમેન તરીકે ચંદ્રસિંહ કાંતિલાલ પટેલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application