Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચનાં લુવારા ગામે પરણીતાને ત્રાસ આપતાં સાસરીયા પક્ષ સામે ગુન્હો નોંધાવ્યો

  • April 15, 2025 

ભરૂચનાં લુવારા ગામે નણંદને ત્યાં નિયાઝમાં નહી આવતાં વહુ પર સાસુ અને સસરાનો હુમલો કરતાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, લુવારા ગામે નવીનગરીમાં રહેતી તસ્લીમાબાનુ ઈકબાલ દિવાન ગરાડી ગામે રહેતી તેમની નણંદનાં થરે નિયાઝ હોઈ સવારે તેના સાસુ-સસરાએ આવી નિયાઝમાં જવાનું હોઈ તૈયાર થઈ જાઓ તેમ જણાવ્યું હતું.


જોકે, તેમની નણંદ સાથે તેમના પતિને અગાઉ ઝઘડો થયો હોવાથી તેમના ઘરે આવવા-જવાના સંબંધ બંધ હતાં. જેના કારણે તસ્લીમાએ તેના સાસુ-સસરાને તમે જવું હોય તો જાવ, મારે કે મારા બાળકોને નથી આવવું તેમ કહેતાં તેના સસરા જુમ્માશા નાથુશા દિવાને લાકડીનો સપાટો લઈ આવી તેને મારમારી ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ તેની સાસુ નુરજહાં જુમ્માશા દિવાને પણ આવેશમાં આવી તેમને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આજુબાજુના લોકોએ દોડી આવી તેને છોડાવતાં તેને સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગે નબીપુર પોલીસે તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application