વલસાડનાં વાંકી નદીનાં પુલ પાસેથી પસાર થઈ રહેલ કોઈક અજાણ્યા વાહનના ચાલકે ઉંટડીના બાઈક ચાલકની બાઈકને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મૂળ ઉત્તરપ્રદેશના ૨૨ વર્ષીય બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લાના મજહારાતોકલી તાલુકાનાં ડીડોરનપુરવાના રહીશ અને હાલે વલસાડના ઉંટડી ગામે સુભાષભાઈની ચાલમાં રહેતો મોહમ્મદ જાવેદ મોહંમદઅલી ફકીર મંગળળારે મોડી રાત્રે તેની બાઈક લઈને વલસાડ નજીક આવેલ વાંકી નદીનાં પુલ પરથી સુરતથી મુંબઈ તરફ જતા હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો.
તે સમયે હાઈવે પરથી પસાર થઈ રહેલા કોઈક અજાણ્યા વાહનના ચાલકે, મોહમ્મદ જાવેદની બાઈકને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રોડ પર પટકાયેલા મોહમ્મદ જાવેદને ગંભીર ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સની મારફતે સારવાર માટે વિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જે બાબતે મૃતકના મિત્ર જયહિન્દ નિશાદે અકસ્માત સર્જી ફરાર થઈ જનાર અજાણ્યા વાહન ચાલક સામે સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application