Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સામાન્ય બાબતમાં પતિ સાથે ઝગડો થતાં પત્નીએ ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું

  • August 12, 2021 

બારડોલી નગરના ગાંધીરોડ ઉપર આવેલ જયદીપ ટાવરમાં રહેતા દંપતી વચ્ચે ઝગડો થતાં પત્નીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીના ગાંધીરોડ ઉપર આવેલ જયદીપ ટાવરમાં રહેતા પંકજભાઇ સદાનંદ મીશ્રા (ઉ.વ.38) જે.કે.લક્ષ્મી સીમેન્ટ પ્લાન્ટમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને ગતરોજ રાત્રિના સમયે તેમની પત્ની જયશ્રીબેન તેમની માતા સાથે ફોન ઉપર વાત કરતા હોય જે બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. જે વાતનુ જયશ્રીબેન માઠુ લાગી આવતા તેમને પોતાના ઘરના રૂમમાં પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે બારડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application