Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં મોચીની ચાલનું ડીમોલેશન કરી દેવાતા 44 જેટલા પરિવારોએ કલેકટરને આવેદન આપી વેકલ્પિક આવાસ ફાળવવા માટેની માંગ કરી

  • December 17, 2021 

સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેકટને નડતરરૂપ મોચીની ચાલનું ડીમોલેશન કરી દેવાતા 44 જેટલા પરિવારો રસ્તા પર આવી જતા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને વેકલ્પિક આવાસ ફાળવવા માંગ કરાઇ હતી. વિગત એવી છે કે, સુરત ભાગળ રોડથી આગળ જતા ટાવર રોડ નજીક મોચીની વર્ષો જુની ચાલ આવેલી હતી. જે મેટ્રો ટ્રેન માટે નડતરરૂપ હોવાથી પાલિકા દ્વારા ડીમોલેશન શરૂ કરાયુ હતુ.જયારે પાલિકાની ટીમે રાઉન્ડ ધી કલોક ડીમોલેશન ચાલુ રાખીને મોચીની ચાલને દૂર કરી દેતા 44 જેટલા પરિવારો રસ્તા પર આવી જતા ગતરોજ જિલ્લા કલેકટરાલય ખાતે મોરચો કાઢીને આવેદનપત્ર પાઠવીને જણાવ્યુ હતુ કે, આ જગ્યા પર પેઢીઓથી પોત પોતાના પરિવારો સાથે રહેતા આવ્યા છીએ અને રહેણાંક મકાન, દુકાન ધરાવતા હતા. પરંતુ રાતોરાત ડીમોલેશન કરી દેવાયુ હોવાથી 44 પરિવાર રસ્તા પર આવી ગયુ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application