Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં કરણ ગામે આધેડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

  • October 31, 2021 

સુરતના પલસાણા તાલુકાનાં કરણ ગામે રહેતા પરપ્રાંતીય આધેડે કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુકાવી લીધું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં કરણ ગામે આવેલ તક્ષશીલા નેચર વ્યુ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા 51 વર્ષીય આધેડે કોઇ અગમ્ય કારણસર સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ પોતાના બેડ રૂમમા પંખા સાથે નાયલોનની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application