આણંદ જિલ્લાના સોજીત્રા-તારાપુર રોડ ઉપર કલોલ ચોકડી પાસે શ્રમિકોને ભરી રિક્ષાને કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું અને રિક્ષામાં સવાર ૭ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે સોજીત્રા પોલીસે કાર ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આણંદ પાસેના સંદેશર ગામે રહેતો ૨૯ વર્ષીય અલ્પેશભાઈ અજીતભાઈ વાઘેલા પોતાની રિક્ષામાં શ્રમિકોને લઈને તારાપુર ખાતે સેન્ટિંગના કામે ગયા હતા. તારાપુર ખાતેથી ગઈકાલે શ્રમિકોને લઈ પરત ફરતા સોજીત્રા તારાપુર રોડ ઉપર આવેલી કલોલ ચોકડી નજીક પહોંચી હતી.
ત્યારે પાછળથી પુરઝડપે આવી ચડેલી કારે રિક્ષાને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષા રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. કાર ચાલકે પણ સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર માર્ગની બીજી તરફ ધસી ગઈ હતી. જેમાં રિક્ષા ચાલક અલ્પેશભાઈને માથામાં ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બે મહિલા સહિત ૭ શ્રમિકો ઈજાગ્રસ્ત થતા ૧૦૮ મારફતે સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતા ઘટના સ્થળેથી સોજીત્રા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે સોજીત્રા પોલીસે જીગ્નેશભાઈ અજીતભાઈ વાઘેલાની ફરિયાદના આધારે કાર ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application