Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ-નિઝર રોડ પર અકસ્માત, બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

  • March 21, 2021 

ઉચ્છલ-નિઝર હાઇવે માર્ગ પર અજાણ્યા વાહન અડફેટે બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ ઉચ્છલ પોલીસ મથકે નોંધાયો છે.

 

 

 

 

 

મળતી માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાના વડપાડાભીંત ગામના રહીશ બલરામભાઈ રેવજીભાઈ ગામીત (ઉ.વ.43) નાઓ તા.20મી માર્ચ નારોજ રાત્રે આશરે 9:00 કલાકના અરસામાં પોતાની મોટર સાયકલ નંબર જીજે/19/બી/2133 લઈને ઉચ્છલના ધજ ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન ઉચ્છલ-નિઝર રોડ ઉપર કોઈ અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલક બલરામભાઈ ગામીતને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે ટુકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

 

 

 

 

 

બનાવ અંગે રેવજીભાઈ જાનીયાભાઈ ગામીતની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ઉચ્છલ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application