Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દારૂની મહેફિલ માણ્યા બાદ સૂતેલી હાલતમાં જ યુવાનને ચાર જણાંએ ચપ્પુના ઘા મારી પતાવી દીધો

  • August 30, 2020 

સુરતમાં સતત ચોથા દિવસે હત્યાની ઘટના બનવા પામી છે. ગત મોડીરાત્રે લિંબાયત નીલગીરી સર્કલ પાસે ફૂટપાથ ઉપર ઝુંપડામાં રહેતા અને ભંગાર વીણવાનું કામ કરતા યુવાનની તેના બનેવી, બનેવીના ભાઈ અને બે મિત્રોએ તેના માથા ઉપર બેસી જઈ બાદમાં ગળું કાપી હત્યા કરી દીધી હતી.

 

યુવાનની માતા બચાવવા આવતા તેમને પણ માથામાં ચપ્પુ મારી ચારેય ફરાર થઈ ગયા હતા. બહેનને માર મારતા બનેવીને સમજાવવા ગયા બાદ યુવકનો ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રે યુવક બનેવીના ભાઈ સહિત ત્રણ જણા સાથે દારૂની મહેફિલ માણી ઘરે આવી સૂઈ ગયો હતો. તે દરમિયાન બનેવી સહિત ચાર જણાએ યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના બાદ લિંબાયત પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

 અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા અને માત્ર પંદર દિવસ અગાઉ સુરતમાં આવેલા અને લિંબાયત નીલગીરી સર્કલ પાસે સંજય નગર સર્કલ તરફ જતા રોડ ઉપર ફૂટપાથ ઉપર ઝુંપડું બાંધીને રહેતો ૨૭ વર્ષીય મશીંદર શંકર ભોંસલે ભંગાર વીણવાનું કામ કરતો હતો.પહેલી પત્નીના બે સંતાન અને પહેલી પત્નીના મૃત્યુ બાદ બીજા લગ્નને ૩ વર્ષ થયા છે. મશીંદર દારૂ પીવાની ટેવ ધરાવતો હતો.મશીંદરની બહેન નંદિનીના લગ્ન તેના મોટાભાઈના સાળા આનંદ વામન પવાર સાથે થયા હતા.

 

જોકે, આનંદ નંદિનીને મારઝૂડ કરતો હોય તે એક -બે દિવસ અગાઉ જ મશીંદરના ઘરે રહેવા આવી ગઈ હતી.મશીંદર તેને પરત મોકલતો ન હતો.તે દરમિયાન રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં મશીંદર, તેની પત્ની સંજીવની, માતા કમલાબેન ઝૂપડામાં સુતા હતા. તે સમયે બનેવી આનંદ તેનો ભાઈ ઈનેશ અને બે મિત્રો તેજા પ્રકાશ શીંદે, રામા પ્રકાશ શીંદે ઝૂપડામાં ઘૂસી ગયા હતા અને મશીંદરના માથા ઉપર આનંદ અને ઈનેશે બેસી જઈ આનંદે કેમ નંદિનીને મારા ઘરે મોકલતો નથી તેમ કહી તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઉપરા છાપરી ત્રણ ઘા મારી દીધા હતા. તે સમયે તેજા અને રામાએ મશીંદરના પગ પકડી રાખ્યા હતા. અવાજ સાંભળી જાગી ગયેલા સંજીવની અને કમલાબેન પૈકી કમલાબેને મશીંદરને બચાવવા પ્રયાસ કરતા આનંદે તેમના માથામાં પણ ચપ્પુના ઘા માર્યા હતા અને બાદમાં ચારેય ફરાર થઈ ગયા હતા.

 

લોહીલુહાણ હાલતમાં મશીંદરને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં દોડી ગયેલી લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી ચારેયને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.મશીંદરના ભાઈ અનિલે જણાવ્યું હતું કે,  બહેનને માર મારતા બનેવીને સમજાવવા ગયા બાદ ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રે બનેવીઆનંદ,તેનો ભાઈ દિનેશ, તેજા અને રામાં સાથે દારૂની મહેફિલ માણી ઘરે આવીને સૂઈ ગયો હતો. દરમિયાન આ ચારેય જણાએ રાત્રે ઝૂંપડામાં ઘૂસી મશીંદરને છાતી અને ગળા પર ચપ્પુ ઘા મારી પતાવી દીધો હતો.વધુમાં જણાવ્યું હતું કે, બનેવી સાથે થયેલા ઝઘડામાં   જણાએ થઈને મશીંદરની હત્યા કરી નાખી છે. બનેવીને સમજાવવા ગયા બાદ રાત્રે તેની હત્યા કરવામાં આવી છે. હાલ તો ત્રણેયને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News