સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાના ઇટાળવા ગામે આવેલી સૂર્યાશી રેસિડેન્સીમાં ૨૬ વર્ષીય યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે.
બનાવ અંગે પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બન્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઓડીસાના અને હાલ પલસાણા તાલુકાના ઇટાળવા ગામે સૂર્યાસી રેસિડેન્સીમાં રહેતો બિકાશ ખગેશ્વર કુજુર (ઉ.વ. ૨૬) ખાનગી નોકરી કરતો હતો. જોકે શનિવારે સાંજે ૪થી ૭.૩૦ વાગ્યા દરમિયાન તેણે પોતાનો રૂમ અંદરથી બંધ કરી દીધો હતો અને રૂમમાં પંખાના હૂક સાથે ચાદર વડે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાતનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ મૃતકની પત્ની રીના બિકાશ કુજુરે પોલીસને જાણ કરી હતી. પલસાણા પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે અ.મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application