Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગર સહિત તાપી જિલ્લામાં કુલ ૬૦૦થી વધુ ગણેશજીની પ્રતિમાની હર્ષોલ્લાસ સાથે સ્થાપના કરવામાં આવી

  • September 01, 2022 

હિન્દુ ઓના આરાધ્ય  દેવી દેવતાઓમાં ગણેશજીનું આગવું સ્થાન છે,જેને લઈને તેમની પ્રથમ પૂજા કરવામાં આવે છે. ગણેશજી ના તહેવાર લઇ તાપી જિલ્લાભરમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વ્યારા નગર સહિત તાપી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ૬૦૦થી વધુ  ગણેશજીની પ્રતિમાની સ્થાપના ગણેશ ભક્તો દ્વારા હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી છે.




વ્યારાની ગાયત્રી સોસાયટીમાં દરવર્ષની જેમાં આ વર્ષે પણ ગણેશભક્તો દ્વારા પુરા ભક્તિભાવ અને પૂજા પાઠ સાથે ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રકારનું ભક્તિમય વાતાવરણ જિલ્લાભરમાં જોવા મળ્યું હતું અને ગણેશ ભક્તો આવનાર દસ દિવસ પુરા ભક્તિભાવ પૂર્વક ગણેશજી પૂજા અર્ચના કરી ગણેશપર્વની ઉજવણી કરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application