મહુવાના વલવાડા ગામ નવા ફળીયા આગળ નહેર પાસે રોડ પરથી વલવાડા ગામના આંબાવાડી ફળીયામાં રહેતા અર્જુનભાઈ નગીનભાઈ પટેલ (ઉ.વ.૫૧) પસાર થતા હતા. તેઓ મજુરી કામેથી છુટી ઘરે જતા હતા ત્યારે બેફામ રીતે હંકારીને જતા બાઈક નંબર જીજે/૨૯/એચ/૨૦૯૧ના ચાલકે અર્જુનભાઈને અડફેટે લીધા હતા. જોકે અર્જુનભાઈ રોડ પર પટકાતા ગંભીર ઈજા થતાં મોત નિપજયુ હતું. બનાવ અંગે મહુવા પોલીસ મથકે મૃતકના પુત્ર નીખીલભાઈ પટેલે અકસ્માત કરનાર બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application