Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘાંચીકુવા ગામે મંજુરી વગર યોજાયેલા લગ્ન પ્રસંગમાં આયોજક સામે ગુનો નોંધાયો

  • June 23, 2021 

સોનગઢના ઘાંચીકુવા ગામના દાદરી ફળિયામાં મંજુરી વિના લગ્ન યોજનાર આયોજક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

જાણવા મળતી વિગત મુજબ સોનગઢ પોલીસના સ્ટાફના માણસો મંગળવારે મોડીરાત્રે બંધારપાડા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગના હતા અને જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ ન થાય તે સારું લગ્ન પ્રસંગમાં ચેકિંગમાં નિકળ્યા હતા. તે દરમિયાન ઘાંચીકુવા ગામના દાદરી ફળીયામાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં 50 થી વધુ 100 જેટલા માણસો ભેગા થઇ જાહેરનામાનો ભંગ કરતા નજરે પડ્યા હતા.

 

 

 

 

પોલીસે આ બનાવમાં લગ્નનું આયોજન કરનાર શંકરભાઈ મોવલિયાભાઈ ગામીત સામે ઓન લાઈન મંજુરી વિના લગ્ન પ્રસંગ યોજી,સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી તેમજ માસ્ક પણ પહેરેલ ન હોય, જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application