Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડ તાલુકાના આ ગામના 55 વર્ષીય શખ્સે શરીર ઉપર કેરોસીન છાંટી આપઘાત કરી લેતા ચકચાર મચી

  • July 31, 2021 

વાલોડના મોરદેવી ગામમાં અસ્થિર મગજના 55 વર્ષીય ઇસમે શરીર ઉપર કેરોસીન છાંટી આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાલોડ તાલુકાના મોરદેવી ગામના વિસ્તારમાં ભરાતા હાટ બજાર વાળી જગ્યા પર એક 55 વર્ષીય ઇસમે શરીર ઉપર કેરોસીન છાંટી દીવાસળી ચાંપી આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઇ હતી.

 

 

 

 

પોલીસના જણાવ્યા અનુસાર મોરદેવી ગામના હળપતિવાસમાં રહેતો 55 અરવિંદભાઈ ગોવિંદભાઈ હળપતિ, નાનો અસ્થિર મગજનો હોય આજરોજ બપોરે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી દીવાસળી ચાંપી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application