Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર

  • January 11, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરતના હજીરા વિસ્તારમાં ત્રણ વર્ષની માસુમ બાળકીને કોઈ નરાધમે હવસનો શિકાર બનાવી છે.હજીરા નજીકની ઝાડીઓ માંથી આ બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે અને હાલમાં સુરત પોલીસ તપાસ કરી રહી છે,આ અંગે મળતી વિગત મુજબ સુરત શહેરના છેવાડે આવેલા હજીરા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની બાળકી અચાનક ગુમ થઇ ગઇ હતી.તેના પરિવાર અને આસપાસના લોકોએ બાળકીની શોધખોળ કરવા છતા તે હાથ લાગી ન હતી.દરમિયાન હજીરા નજીક આવેલી બાવળની ઝાડીઓ વચ્ચેથી આ બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી.માસુમ બાળકીને સારવાર માટે તાત્કાલિક 108ની મદદથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.જ્યાં આ બાળકી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યાનું ડોક્ટરોની તપાસમાં જાહેર થતા શ્રમજીવી પરિવાર પર આભ તુટી પડ્યું હતું.આ મામલે પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application