Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતની 919 સ્કુલોમાં 8738 વિદ્યાર્થીઓને ધોરણ-1માં વિનામૂલ્યે પ્રવેશ, આગામી તારીખ 5 મે સુધી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે

  • April 27, 2022 

સુરતમાં આરટીઆઈ હેઠળ ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ પ્રથમ રાઉન્ડ જાહેર થતા સુરત શહેરની 919 સ્કુલોમાં 25 ટકા પ્રમાણે 8738 વિદ્યાર્થીઓને ધોરણ-1માં વિનામૂલ્યે પ્રવેશ ફાળવાતા આગામી પાંચ મે સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. રાજય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના સંતાનો ઘર નજીકની સ્કુલમાં ધોરણ-1માં વિનામૂલ્યે ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ મળે તે માટે રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ પ્રવેશ ફાળવે છે. 


એકવાર પ્રવેશ મેળવ્યા પછી ધોરણ-8 સુધી વિદ્યાર્થીઓ વિનામૂલ્યે ભણે છે. આગામી વર્ષ માટે ફોર્મ ભરવાની પ્રકિયા સંપન્ન થતા સુરત શહેરની 919 સ્કુલોમાં પ્રવેશ માટે 30223 ફોર્મ ભરાયા હતા જેમાંથી 3211 કેન્સલ થયા હતા અને 919 ફોર્મ રદ થતા 26094 વિદ્યાર્થીઓ પ્રવેશ માટે રાહ જોઇ રહ્યા હતા. જોકે સરકાર દ્વારા આરટીઆઈનો પ્રથમ રાઉન્ડ જાહેર કરતા 919 સ્કુલોના વર્ગો દીઠ 25 ટકા પ્રમાણે 8738 વિદ્યાર્થીઓને ધોરણ-1માં પ્રવેશ ફાળવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ આગામી તા.5 મે સુધીમાં સ્કુલોમાં જઇને પ્રવેશ મેળવવાનો રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application