Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા:ભેંસો ખેતરમાં ઘાસ અને મકાઈનો ચારો ચરી ગઈ:ચાર જણા વિરુધ્ધ ગુન્હો નોંધાયો  

  • July 19, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના તાડકુવા ગામની સીમમાં આવેલ ખેતર માંથી ભેંસોએ ઘાસ અને મકાઈનો ચારો ચરી જતા ખેતર માલિકે ભેંસોના રખેવાળ વિરુધ્ધ ફરિયાદ કરી છે,જેના આધારે આજરોજ કાકરાપાર પોલીસ મથકે ચાર જણા વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે. વ્યારા તાલુકાના તાડકુવા ગામની સીમમાં આવેલ ડુંગરી ફળિયાની પાછળ અંબામાતાજી મંદિરની બાજુમાં આવેલ સર્વે નંબર 91 વાળી જમીનમાં આજરોજ (1)વજુભાઈ ભરવાડ(2)કાનાભાઈ ભરવાડ સહિત કુલ ચાર જણાએ 41 જેટલી ભેંસોથી ખેતરમાં ઘાસ તથા મકાઈનો ચારો ચરાવી ગયા હતા,જેના કારણે જમીન માલિકને આર્થીક રીતે નુકશાન પહોંચ્યું હોય,નીતેશભાઈ ગોવિંદભાઈ ઢોડીયાપટેલ રહે,તાડકુવા,ડુંગરી ફળિયાની પાછળ અંબામાતાજીના મંદિર પાસે, અને રમેશભાઈ માંગીલાલ નાઓના ખેતરમાં રૂપિયા 50,000/-નું નુકશાન થયું હોવાની ફરિયાદ નીતેશભાઈએ કાકરાપાર પોલીસ મથકે કરી છે,જેના આધારે ભેંસના રખેવાળ વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે,આગળની વધુ તપાસ હેડકોન્સ્ટેબલ સંદીપભાઈ મોહનભાઈ કરી રહ્યા છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application