Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત રેલ્વે સ્ટેશન પર લગાવેલા કેમેરાની મદદથી 5 ચોરીના કેસ ઉકેલાયા

  • November 02, 2021 

સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર હાલમાં જ 4 ફેસ રિકોગનાઇઝેશન કેમેરા લગાવવામાં આવ્યા છે. જેને પગલે હવે સુરત રેલ્વે સ્ટેશન કુલ 86 હાઈ રિઝોલ્યુશન કેમેરાથી સજ્જ છે. નવા કેમેરા લગાવ્યાના ગણતરીના દિવસોમાં જ 5 ચોરીના કેસ સીસીટીવી કેમેરાની નજરે ચડી ગયા હતા. આરપીએફના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર મહિનામાં તા.1,8,9,14 અને 22 ઓક્ટોબરે ચોરીના અલગ-અલગ બનાવો સીસીટીવી કેમેરાની મદદથી પકડવામાં આવ્યા હતા.

 

 

 

 

 

જોકે, મુસાફરો દ્વારા પોતાના પર્સ, મોબાઈલ અને અન્ય સામાનની ચોરી થઇ હોવાની ફરિયાદ થઈ હતી જેને પગલે આરપીએફની ટીમે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને આરોપીઓની ઓળખ કરી ધરપકડ પણ કરી લીધી હતી. ચોરી કરનારા ઈસમો પાસેથી મોબાઇ ફોન, પર્સ અને કેશ રિકવર કરવામાં આવ્યા હતા. આરપીએફએ વધુમાં ઉમેર્યું હતું કે, હવે જયારે પણ આવી ચોરીની ફરિયાદ મળે છે ત્યારે તરત જ સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીને પકડવાના કામગીરી શરુ કરી દેવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application