Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીનાં અલીપુરમાં દિવાલ ધરાશાયી થતાં 5 મજૂરોનાં મોત

  • July 15, 2022 

દિલ્હીનાં અલીપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક નિર્માણાધીન દિવાલ ધરાશાયી થવાને કારણે 5 મજૂરોનાં મોત થયા છે અને અન્ય 9 લોકો ઘાયલ થયા છે, તેમજ આ કાટમાળની નીચે ફસાયા હોવાના અહેવાલ છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 મજૂરોના મોત થયા છે. જોકે દિવાલ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.




સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ દિવાલ 25 ફુટથી પણ ઊચી હતી. આ ઘટના બાદ 15 લોકોને મલબા નીચેથી નીકાળવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. NDRFની ટીમ દ્વારા બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે. આ ઘટના બાદ ગોડાઉનનો માલિક ફરાર થઇ ગયો છે. પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલુ જ છે.




દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના બાદ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતુ. તેમણે ટ્વીટ કરતાં લખ્યુ કે, આ ઘટના દુ:ખદ છે, જિલ્લા પ્રશાસન રાહત બચાવ કાર્યમાં લાગેલ છે. મારુ ધ્યાન પણ રાહત કાર્યના કામ પર છે, આ સાથે જ તેમણે લખ્યુ દિવગંત આત્માઓની શાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના કરુ છુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application