સોનગઢમાં એક શિક્ષકે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યા હોવાનો બનાવ ઉકાઈ પોલીસ મથકે રજીસ્ટર થયો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર તા.5મી સપ્ટેમ્બર નારોજ સોનગઢની દેવરત્ન સોસાયટીમાં રૂમ નંબર 13માં રહેતા 44 વર્ષીય શિક્ષક સંદીપભાઈ કેશવભાઈ ગામીતે જાતે પોતે પોતાના રહેણાંક વાળા મકાનમાં બેઠક રૂમમાં સિલિંગ ફેન સાથે એક નાયલોનના સફેદ કલરના દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોય,
બનાવ અંગે અમીતભાઈ કેશવભાઈ ગામીત રહે,શ્યામ વાટીકા સોસાયટી, સોનગઢ નાઓની ફરીયાદના આધારે ઉકાઈ પોલીસ મથકે બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ ઉકાઈ પોલીસ સ્ટેશનના એએસઆઈ મણીલાલભાઈ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500