અમદાવાદ:ભાવનગર પાસે થયેલા ભીષણ રોડ અકસ્માતમાં ૧૯ લોકોના મૃત્યુ થઈ ગયા છે અને સાત જેટલી વ્યક્તિઓ ઘાયલ થઈ છે.અહીં બાવળિયાળી ગામ પાસે શનિવારે વહેલી સવારે ભાવનગર-અમદાવાદ હાઇ-વે પર સિમેન્ટથી લદાયેલો ટ્રક એકાએક પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતને પગલે ૧૯ જેટલા લોકો મોતેને ભેટ્યા છે.આ અકસ્માત પછી ભારે ભાગદોડ મચી ગઈ હતી પણ અકસ્માતનું કારણ જાણવા મળ્યું નથી.આ ઘટના પછી ઘાયલો નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદા જિલ્લાના ડેડીયાપડાના ચીકદા ગામે એક કાર્યક્રમ દરમિયાન અકસ્માતમાં મોતને ભેટેલા શ્રમજીવીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.અને મૃતકોના પરિવારજનોને ૪-૪ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦-૫૦ હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે,ગેરકાયદેસર અને વધુ મુસાફરો બેસાડનાર ટ્રકના માલિક સામે સખત કાર્યવાહી કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application