Tapimitra News-સુરત:ભારત દેશમાં પણ કોરોનાના પીડિતોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધી દેશ ભર માં ૧૮૦ લોકો કોરોનાના પોઝિટિવ જોવા મળ્યા છે. દેશમાં કોરોનાને કારણે કુલ ૪ લોકોના મોત પણ થયા છે. ત્યારે ગુજરાતમાં બે કેસ પોઝિટિવ મળી આવ્યા છે. જેને લઈ તંત્ર દોડતું થઈ ગયું છે, રાજકોટમાં યુએઈથી આવેલા વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષ્ણો જોવા મળ્યા હતા. જેને લઈને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. આ કેસ મામલે ગાંધીનગરમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. કારણ કે આ કેસ ગુજરાતનો પ્રથમ કોરોના વાયરસનો કેસ બની શકે તેવી શંકા છે. બંને વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરીને સારવાર આપવામાં આવી રહી છે. સુરતમાં લંડનથી આવેલી યુવતીને કોરોના પોઝિટીવ આવ્યો છે. ૧૪મી માર્ચના રોજ યુવતી વિમાન દ્વારા આવી હતી જયારે રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં સવારથી ૪૦થી વધુ રોગ્ય વિભાગની ટીમે ધામા નાખ્યા હતા અને તેમાંથી મક્કાથી આવેલા એક યુવાનને કોરોનાની ભીતિ સેવાઈ રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application