Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:કેનબોર્ડ કંપનીના કામદારની ઘાતકી હત્યા:પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

  • April 29, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સુરતઃનરોલી ગામે કેનબોર્ડ કંપનીના કામદારની ઘાતકી હત્યાથી જાણ પોલીસને થતા ઘટના સ્થળ પર દોડી આવી હતી.બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ફેક્ટરીના કામદાર આવાસમાં કામદારની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતાં પોલીસ અને એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર નરોલી ગામે આવેલી કેનબોર્ડ કંપનીના કામદારને કામદાર આવાસમાં જ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી હતી.મૃતક કામદારના ગળા અને માથાના ભાગે ઈજાના નીશાન મળી આવ્યાં હતાં.ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.સાથે જ એફએસએલની ટીમે પણ તપાસ શરૂ કરી છે.હત્યારાઓને શોધવા માટે પોલીસે ટીમ બનાવી આગળની દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application