નવસારીનાં ચીખલી તાલુકાનાં ખુંધ ગામનાં નિશાળ ફળિયાના ૨૭ વર્ષીય અન્વય પટેલે ખુંધ ચિલ્ડ્રન હોમની બાજુમાં આવેલ ચીકુ વાડીમાં ચીકુના ઝાડની ડાળી સાથે કોઈક અગમ્ય કારણોસર નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવી લેતા પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી.
બનાવની વિગત એવી છે કે, મોહનભાઈ ઉકાભાઈ પટેલ (રહે.ખુંધ ગામ, નિશાળ ફળિયા, તા.ચીખલી)એ પોલીસ મથકમાં જણાવ્યા અનુસાર તેનો ૨૭ વર્ષીય પુત્ર અન્વયભાઈ મોહનભાઈ પટેલ તેમની ખુંધ ચિલ્ડ્રન હોમની બાજુમાં આવેલ ચીકુ વાડીમાં ચીકુના ઝાડ સાથે કોઈક અગમ્ય કારણોસર નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે તેના મોત અંગે કોઈ શક કે વહેમ નથી પોલીસે તેના પિતાની જાહેરાતના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application