વડોદરાનાં નવાપુરા વિસ્તારમાં જૂની SSC બોર્ડની ઓફિસ પાસે ખંડેરમાં મકાનમાંથી એક વ્યક્તિ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. જોકે આ મૃતદેહ ભિક્ષુકનો હોવાનું વિસ્તારમાં જાણવા મળ્યું છે. નવાપુરા પોલીસ અને સ્થાનિક કોર્પોરેટર ઘટના સ્થળ પર પહોચી ગયા હતા. પોલીસે મોતનું કારણ જાણવા માટે મૃતદેહની પીએમ કરાવવની તજવીજ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવાપુરા વિસ્તારમાં આવેલી SSC બોર્ડની જુની ઓફીસ પાસે ખંડેર મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
જેના મૃતદેહ મળવાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જયારે અજાણી લાશ અંગેની માહિતી મળતાની સાથે નવાપુુરા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. જ્યારે સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકા પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. વિસ્તારમાંથી જાણવા મળ્યા મુજબ આ મૃતદેહ ભિક્ષુકનો હોવાની પ્રાથમિક માહિતી છે. આ ભિક્ષુક આ વિસ્તારમાં ઘરે ઘરે ભીખ માંગીના પોતાનું જીવન પસારસ કરતો હતો. જોકે ભુખમરા, કોઇ બીમારી કે પછી ઠંડીમાં ઠુઠવાના કારણે મોત નિપજ્યું હોવાની અનુમાન લગાવાઇ રહ્યું છે. જોકે પોલીસ દ્વારા કયા કારણોસર મોત થયું છે તેનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ કરવાની તજવીજ હાથ ધરાઇ છે, જોકે મૃતદેહ પાસેથી કોઇ ચોક્કસ આધાર પુરાવા મળી આવ્યા ન હોય તેની ઓખળ થઇ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application