Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : દંપતિને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર બે સામે પોલીસ ફરિયાદ

  • August 25, 2022 

સુરતનાં કોસંબા વિસ્તારમાં આવેલ પાલોદ ગામે રહેતા ઈસમ રાત્રે ચાલતા ઘરે આવતો હતો તે સમયે દુકાનદાર અને તેના મિત્રએ તેને ઘેરી મારમારી કિરાણાની દુકાનનાં બાકી રૂપિયાની માંગણી કરી હતી ત્યાં ઈસમની પત્ની આવી ચઢતા બે ઈસમોએ તેને પણ મારમારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંગરોળનાં પેરેડાઈઝ સોસાયટીનાં મકાન નંબર-49માં રહેતા અજયભાઇ વાસુદેવભાઈ વામખેડે (ઉ.વ.42) નાએ નજીકમાં સંચા ખાતામાં કામ કરી પોતામાં પરિવાર સાથે રહી ગુજરાન ચલાવતા હતા.




જોકે સોમવારે મોડી રાતે અજયભાઈ કિમ ચાર રસ્તાથી ચાલતા પોતાના ઘરે આવી રહ્યા હતા. તે સમયે સોસાયટીનાં ગેટ પર જ મોટર સાયકલ પર ગામમાં રહેતો સંગ્રામભાઈ ભરવાડ અને ગિરધારીસિંગ આવ્યા અને સંગ્રામ ભરવાડે અજય ભાઈને રસ્તે રોકી "તું કેમ ગિરધારી સિંગના કિરાણાની દુકાનમાં બાકી પૈસા આપતો નથી" તેમ કહી ઢીકામૂકકાનો માર માર્યો હતો.




તે સમયે અજયભાઇની પત્ની સારીકાબેન આવી ચઢતા આ બંને ઈસમોએ સારીકા બેનને પણ માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે આ ઘટના બાદ બંનેને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા અજયભાઇ વાનખેડેએ બંને વિરુદ્ધ કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application