Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જલાલપોરનાં ખરસાડ ગામે મંદિરમાં સફાઈ કરતા શખ્સનું વિજ કરંટ લાગતાં મોત

  • March 22, 2023 

જલાલપોરનાં ખરસાડ ગામનાં ખોડીયાર માતાનાં મંદિરમાં મેન્ટનાન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે મંદિર ઉપરથી પસાર થતાં વીજ લાઈનમાં કામદાર અડી જતાં તેને શોર્ટ લાગ્યો હતો. જેથી ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. મંદિર પર સાફ સફાઈ કરતી વખતે કામદાર ભગુ પાગીને કરંટ લાગતા તાત્કાલિક ગ્રામજનો ભેગા થઈ જઈ સારવાર અર્થે ખસેડ્યો હતો. પરંતુ ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જયારે ગામમાં માતાજીના મંદિરની સાફ-સફાઈ કરતી વખતે ઘટના બની હતી. વીજ લાઈન બંધ હોવા છતાં કરંટ પાસ થતા કામદારનું મોત થયું હતું. મરણ જનાર યુવાન ભગુ પાગિ મૂળ વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાનો રહેવાસી છે. મજૂરી કામ અર્થે ખડસડ ગામમાં છેલ્લા એક મહિનાથી રહેતો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application