ભરૂચનાં જંબુસર તાલુકાનાં કાવા ગામે રહેતાં પરિવારજનો વેકેશનમાં બહારગામ જતાં બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ રૂ.૪.૨૪ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. મળતી માહિતી મુજબ, કાવા ગામે રહેતા કુલદિપસિંહ રાજેન્દ્રસિંહ રાજ તેમના સંતાનોના અભ્યાસને લઈને જંબુસરની પ્રમુખ પ્રેરણા સોસાયટીમાં ભાડેથી રહેતા હતા.
હાલમાં વેકેશન પડતા તેમની પત્ની બંન્ને સંતાનોને લઈને દહેજ ખાતે પિયરે ગઈ હોવાથી તેઓ સવારે ઘરને તાળુ મારી કાવા ગામે જતા હતા. જયાં તેઓ ખેતીનું કામ પુર્ણ કરી સાંજે પરત જંબુસર આવીને એકલા રહેતા હતા. દરમ્યાનમાં ગત તારીખ ૨૯ મી એપ્રિલના રોજ તેઓ તેમના પિતાને ત્યાં હતા. બીજા દિવસે સાંજે તેમના મકાનના ભાડુઆત રજનીભાઈ વસાવાએ તેમને ફોન કરી જાણ કરી હતી. તેમણે ઘરમાં તપાસ કરતા તસ્કરોએ ઘરમાંથી ૪.૨૪ લાખની મત્તાના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડયુ હતુ. બનાવને પગલે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application