સુરત જિલ્લાનાં માંગરોળનાં તરસાડી ખાતે માતા અને દીકરી વચ્ચેની નજીવી બોલાચાલીમાં માતાને મનમાં લાગી આવતા ઘરેથી ક્યાંક ચાલી જતાં કોસંબા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, માંગરોળનાં તરસાડી ખાતે રામેશ્વર સોસાયટીમાં રહેતી અને મૂળ ભરૂચ જિલ્લાનાં રામપુર ગામની ૪૬ વર્ષીય રમીલાબેન મુકેશભાઈ રાવલને ઘરમાં તેમની દીકરી કલ્પનાબેન સાથે નોકરી બાબતે બોલાચાલી થઈ હતી. જેથી રમીલાબેનને મનમાં લાગી આવતા જેઓ ઘરેથી ચાલ્યા ગયા હતા. તેમની આસપાસ અને સગા સંબંધીઓમાં તપાસ કર્યા બાદ કોઈ પત્તો નહીં લાગતા રમીલાબેન ગુમ થયાની ફરિયાદ પરિવારે કોસંબા પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે રમીલાબેનની શોધખોળ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application