Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા મૈયા બ્રિજ પરથી યુવકે છલાંગ લગાવી, માછીમારોએ યુવકને બચાવી લીધો

  • September 11, 2023 

નર્મદા મૈયા બ્રિજ પરથી ગતરોજ એક યુવકે નદીમાં ભૂસકો માર્યો હતો જોકે, સદનસીબે નદીમાં રહેલ માછીમારોએ તેને બચાવી પોલીસને જાણ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, યુવકને અંકલેશ્વર પોલીસે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. જોકે યુવક કોણ અને કયાનો છે. તેમજ ક્યાં કારણોસર નદીમાં ઝપલાવી જીવન ટૂંકાવવા માંગતો હતો તેની વિગતો બહાર આવી ન હતી. યુવકે બ્રિજ પરથી ભૂસકો મારતા જ વાહન ચાલકોએ દોડી આવી બુમાં બૂમ મચાવી દીધી હતી. નદીમાં નાવડી લઈને ફરતા માછીમારોએ યુવકની નજીક પહોંચી તેને બચાવી લીધો હતો. ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે ગત રવિવારે પણ એક મહિલાએ પણ આપઘાત કરવાના ઇરાદે બપોરના સુમારે નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ઝપલાવ્યું હતું. જોકે તે વખતે અને આજે બીજી વખત માછીમારોએ મળી બંનેનાં જીવન બચાવી લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application