Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પત્ની સાથે ઝઘડો કરી નીકળેલ પતિએ કંપનીનાં રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • June 04, 2022 

પાનોલી જીઆઇડીસીમાં ધ્રુવ કેમિકલ્સમાં કામદારે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો. જયારે સવારે પત્ની જોડે ઝઘડો થતા પત્ની પિયર એ જવા નીકળી અને પતિ એ કંપનીના રૂમમાં એકલા રહેલા ગોધરાના શ્રમિકે અંતિમ પગલું ભર્યું હતું. બનાવની વિગત એવી છે કે, પાનોલી જીઆઇડીસીમાં આવેલ ધ્રુવ કેમિકલ્સ કંપની મૂળ ગોધરાના બેડીયા મંદિર ફળિયા ગામના રહીશ 24 વર્ષીય મનહરકુમાર તખતસિંહ ચૌહાણનો સવારે પોતાની પત્ની જોડે કોઈ કારણોસર ઝઘડો થયો હતો જે ઝઘડા બાદ પત્ની પિયરમાં જવા નીકળી ગઈ હતી.




ત્યારબાદ મનહરભાઈ રૂમમાં એકલા પડતા રૂમની છતમાં લોખંડની એંગલમાં દોરી વડે ફંડો લગાવી આપઘાત કરી લીધો હતો. જયારે સાથી કામદાર અને સંબંધી મહેશકુમાર દલપતસિંહ ચૌહાણ બોલવા પહોંચતા આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરતા પાનોલી આઉટ પોસ્ટના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે અંકલેશ્વર ખાતે ખસેડાયો હતો અને ઘટના અંગે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application