સુરત જિલ્લાનાં પલસાણા પાસે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે ૪૮ પર ફોર ફિલપ મશીનના ચાલકે પશુઓને ચરાવવ ગયેલા ઈટાળવાના યુવકને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, પલસાણા તાલુકાના ઇટાળવા ગામમાં આવેલ ટાંકી ફળિયામાં છીબાભાઈ ભુલાભાઈ રાઠોડ (ઉ.વ.૩૯) પલસાણાના આહીરવાસમાં રહેતા ડાહ્યાભાઈ બાબરભાઈ આહીરને ત્યાં રહી ખેતી અને પશુપાલનનું કામકાજ કરતો હતો.
જોકે ભેંસો લઈ ગામની સીમમાં ચરાવવા માટે ગયો હતો. તે દરમિયાન પલસાણા ગામની સીમમાં દુર્ગા કોલોની પાસે મુંબઈથી અમદાવાદ જતા ને.હા.નં. ૪૮ના સર્વિસ રોડ ઉપર પર એક ટાટા કંપનીનું ઓમ વોલ્ટાસ ફોર ક્લિપ મશીનના ચાલકે ગફલતભરી રીતે હંકારી છીબાભાઈ રાઠોડને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે ચલથાણની સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે નવસારીની મુલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન છીબાભાઈનું મોત નીપજ્યું હતું. ત્યાર તેમના ભત્રીજા રોહનભાઈ રાજુભાઈ રાઠોડ (રહે.ટાંકી ફળિયા, ઈટાળવા)એ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application