સુરતનાં બારડોલી તાલુકામાં ધુળેટી રમ્યા બાદ મિત્રો સાથે નહેરમાં નાહવા ગયેલ યુવકનું નહેરના પ્રવાહમાં તણાતા મોત થયું હતું. મળતી માહિતી મુજબ, ઉવા ગામનો ૩૬ વર્ષીય મુકેશ પાસવાન ધુળેટી રમ્યા બાદ મિત્રો સાથે નહેરમાં નાહવા માટે ગયો હતો.
તે દરમિયાન નહેરના પાણીના તેજ વહેણમાં તણાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. ફાયર વિભાગની ટીમે તરત જ શોધખોળ અભિયાન શરૂ કર્યુ હતું અને બીજા દિવસે સવારે બારડોલીના સરભોણ ગામની સીમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મુકેશ હરિપુરા ગામની કંપનીમાં નોકરી કરતો હતો. ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મુકેશ પાસવાનનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application