Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીના બલીઠા ગામે તરૂણીએ અગાસી પરથી છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું

  • February 18, 2025 

વાપીના બલીઠા ગામે રહેતી ૧૭ વર્ષીય તરૂણી અગાસી પર જવાનું કહી નિકળ્યા બાદ છલાંગ લગાવી આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી. તરૂણી ત્રણ મહિના અગાઉ જ વતનથી આવી હતી. આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી.


પોલીસના જણાવ્યા મુજબ વાપીના બલીઠા ગામે અશોકભાઈની બિલ્ડિંગમાં રમેશચંદ્ર સવીનાથ પરિવાર સાથે રહે છે. રાત્રે રમેશચંદ્રની પુત્રી સંજના (ઉ.વ.૧૭) અગાસી પર જવાનું કહી નિકળી હતી. સંજના અગાસી પર ગયા બાદ ભેદી સંજોગોમાં મોતની છલાંગ લગાવી હતી. ઘટનાને પગલે રહીશો દોડી ગયા હતા. પરિવાર પણ પહોંચી જતા સંજનાને મૃત હાલતમાં જોતા હતપ્રત બની ગયા હતા. પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાઈન કબજો લઈ પી.એમ.માં મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application