પલસાણાનાં ઘાલુડાથી ત્રણ મહિલા રિક્ષામાં પલસાણાની ગોકુલ આનંદ કંપનીમાં નોકરી ઉપર જતી હતી ત્યારે રિક્ષા પલટી જતા એક મહિલાનું મોત નિપજ્યું હતું અન્ય ત્રણને ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ, પલસાણાનાં ઘલુડા ગામમાં ગોચર ફળિયુંમાં રહેતા મંજુબેન અરવિંદ રાઠોડ તથા મનિષાબેન અનિલ રાઠોડ અને મંજુબેન ભીખાભાઈ રાઠોડ તેમજ શીલાબેન છનીયાભાઈ રાઠોડ સવારે પલસાણાની ગોકુલાનંદ કંપનીમાં નોકરી ઉપર જવા ઓટો રિક્ષામાં નંબર GJ/19/U/0734માં બેઠી હતી.
જેમાં ચારેયને ઈજા થઈ હતી. તમામને તાત્કાલિક સારવાર માટે પલસાણા સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાંથી મંજુબેન ભીખા રાઠોડને વધુ સારવાર માટે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે મનિષાબેન અનિલભાઈ રાઠોડ તથા શીલાબેન છનીયાભાઈ રાઠોડ હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ મંજુબેન રાઠોડના પુત્ર સંજય ભીખા રાઠોડે રિક્ષા ચાલકની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application