સુરત જિલ્લાના માંગરોળના મહુવેજ ગામે સિલાઇનો સંચો ચલાવી રહેલા ૨૮ વર્ષીય પરપ્રાંતીય મજૂરનું નીચે પડી જવાથી મોત નિપજ્યું હતુ. મહુવેજમાં ફેયરડ્રીલ ટેક્સ્ટાઈલ કંપનીની સામે રહેતા અને મૂળ આઈમાગામ (ઓરિસ્સા)નાં ૨૮ વર્ષીય નારાયણ જંબેશ્વર પુષ્ટી અત્રેની ઝમ્બો બેગ ઇન્ડસ્ટ્રિયલના પહેલા માળે સિલાઇનો સંચો ચલાવી રહ્યા હતા.
તે દરમિયાન ફાઇબર સિમેન્ટની સીટ તૂટી જતા નારાયણભાઈ ધડાકાભેર નીચે પડી ગયા હતા. જેથી તેમને માથાના તેમજ પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ નારાયણભાઈને સારવાર અર્થે પી.પી.સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરોએ નારાયણભાઈને મૃત ઘોષિત કર્યા હતા. અકસ્માતની ઘટના અંગે કોસંબા પોલીસને જાણ કરવામાં આવતા હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application