Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં

  • April 30, 2025 

ભારતના વેપારીઓના સૌથી મોટા સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સએ નિર્ણય લીધો છે કે, તે પહેલી મેથી પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં. આ ઉપરાંત અત્યાર સુધી થયેલા તમામ કરારો રદ કરવામાં આવશે. ભુવનેશ્વરમાં યોજાયેલી કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સની અખિલ ભારતીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોન્ફિડન્સ ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના દેશભરમાં લગભગ 9 કરોડ વેપારી સભ્યો છે. સમિતિના અધ્યક્ષ બી.સી. ભારતીયાએ જણાવ્યું હતું કે, 'ભુવનેશ્વરમાં યોજાયેલી બેઠકમાં તમામ રાજ્યોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. જેમાં પાકિસ્તાન સાથેના તમામ વ્યાપારિક સોદાઓ સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


પાકિસ્તાનના ઉદ્યોગપતિઓ CAT દ્વારા લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો વ્યવસાય કરે છે. અહેવાલો અનુસાર, ભારતીય વેપારીઓ પાકિસ્તાન સાથે ખાંડ, સિમેન્ટ, લોખંડ, વાહનના ભાગો, ઈલેક્ટ્રિકલ સામાનનો વ્યવસાય કરે છે, પરંતુ હવે તેમણે નિર્ણય લીધો છે કે તેઓ પહેલી મેથી આ વ્યવસાય નહીં કરે. વેપારીઓ ટૂંક સમયમાં આ અંગે વડાપ્રધાન કાર્યાલય, નાણાં પ્રધાન કાર્યાલય, વાણિજ્ય મંત્રાલયને જાણ કરશે. એક તરફ સરકારે પાણી પુરવઠો બંધ કરી દીધો છે.


બીજી તરફ વેપારીઓ પણ પોતાને દેશના સૈનિક માને છે, જેના અંતર્ગત તેમણે પાકિસ્તાન સાથે વેપાર સંબંધો તોડવાનો નિર્ણય લીધો છે, આ નિર્ણય પાકિસ્તાનને આર્થિક રીતે પણ નબળું પાડશે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ અનુસાર, ભારતીય વેપારીઓ પાકિસ્તાનથી ડ્રાયફ્રુટ્સની માંગ કરે છે, પરંતુ તે વિસ્તારમાં વ્યવસાય કરતા વેપારીઓએ તેમને કહ્યું કે તેઓ બધા કરાર રદ કરશે. નોંધનીય છે કે વર્ષ 2019માં પુલવામા આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના વેપાર સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. પરિણામે બંને દેશો વચ્ચેનો વેપાર ભારે ઘટી ગયો છે, જે 2018માં આશરે 3 બિલિયન ડોલરનો વાર્ષિક વેપાર હતો જે 2024માં 1.2 બિલિયન ડોલર થયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application