વાપીના ડુંગરામાં ડુંગરી ફળિયા રામસુરેશની ચાલ, રૂમ નં. ૦૧ ખાતે રહેતી (મૂળ રહે. કુમ્હરાવા, પોસ્ટ-દિનમોબારા, થાના-રોહ, તા.કાદિરગંજ, જિ.નવાદા, બિહાર) ૩૨ વર્ષીય માલોદેવી સરોજ રાજવંશી તા.૧૪-૦૨-૨૦૨૫ નારોજ બપોરે ૧૨.૩૦થી બપોરના ૨.૩૦ વાગ્યા દરમિયાન તેમની ૪ પુત્રી વર્ષીય સોનાક્ષી સરોજ સહદેવ અને ૩ વર્ષીય પુત્ર સોહમ સરોજ રાજવંશીને સાથે લઈ પટેલ ડોક્ટરની હોસ્પિટલમાં જાઉં છું, એમ કહી કશે જતા રહ્યા હતા. ગુમ થનાર ત્રણેય આજદિન સુધી પરત ફર્યા નથી. ગુમ થનાર માલોદેવી શરીરે પાતળો બાંધો અને રંગે ઘઉંવર્ણ હોવા સાથે આશરે ૫ ફૂટ ઊંચાઈ ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application