Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મધમાખીના ડંખથી બચવા માટે બે વ્યક્તિઓ નહેરના પાણીમાં કૂદયા, એકનું ડૂબી જવાથી મોત

  • May 10, 2023 

વ્યારાના ચાંપાવાડી ગામે ઝાડ ઉપર રહેલા મધપૂડા પરથી એકાએક માખીઓ ઉડતા ઝાડ પાસે ઊભા રહેલા બે વ્યક્તિઓ પાછળ કરડવા માટે દોડતા માખીઓના ઝુંડથી બચવા બંને વ્યક્તિ નહેરમાં કુદી પડ્યા હતા જે પૈકી એક વ્યક્તિ નહેરમાંથી બહાર નીકળ્યા હતા જ્યારે અન્ય એકનું પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતુ.


મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે નિશાળ ફળિયામાંથી પસાર થતી ઉકાઇ ડાબા કાંઠા નહેરમાં રસિકભાઈ દશરીયાભાઈ ગામીત રહે.ચાંપાવાડી ગામ, નિશાળ ફળિયું, તા.વ્યારા નાઓનો ગત તા.7મી મેના રોજ ગામમાં આવેલ પ્રકાશ ગમનભાઇ ગામીતની દુકાન પર બેસેલા હતા. તે દરમિયાન આ દુકાનની નજીકમાં આવેલ ઝાડ ઉપરથી મધમાખીનું ઝુંડ અચાનક ઉડ્યું હતું અને તેમાં રહેલી માખીઓના ઝુંડ વ્યક્તિઓને કરડવા પાછળ દોડ્યા હતા.


જોકે મધમાખીના ડંખથી બચવા માટે રસિકભાઈ સાથે અન્ય એક વ્યક્તિ ચંપકભાઈ આ બંને નજીકમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરનાં પાણીમાં કુદી પડ્યા હતા, જેમાં ચંપકભાઈ તરવૈયા હોય સહીસલામત પાણીમાંથી પરત નીકળી આવ્યા હતા, જ્યારે રસિકભાઈ નહેરનાં પાણીમાં ડૂબી ગયા હતા. તેમની લાશ તણાઈને ચાંપાવાડી દાદરી ફળિયામાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરનાં પાણીમાંથી સાંજનાં પાંચ વાગ્યાના સુમારે વાગે મળી આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News