Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રિક્ષા પલટી જતાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

  • October 12, 2023 

ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુર રાંધેજા રોડ ઉપર મેડી સાંજે રિક્ષા લઈને પસાર થઈ રહેલા સાબરમતીના યુવકની રિક્ષા પલટી જતા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી અને તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પેથાપુર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.



સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સાબરમતીમાં આવેલી સતકેવલ નગર વસાહતમાં રહેતો 25 વર્ષીય યુવાન અતુલ રાજુભાઈ દંતાણી સાંજના સમયે રીક્ષાનો ફેરો ભરીને રાંધેજા આવ્યો હતો અને જ્યાંથી તે પરત જઈ રહ્યો હતો તે દરમિયાન પેથાપુર રાંધેજા માર્ગ ઉપર અચાનક તેની રીક્ષા પલટી ખાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. શરીર ગંભીર ઈજાઓને કારણે તેને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ અકસ્માતની ઘટનાને પગલે તેના ભાઈ ઉત્તમની ફરિયાદના આધારે પેથાપુર પોલીસ અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News