Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મિર્ઝાપુરમાં ભયંકર અકસ્માત : દસ લોકોનાં મોત, ત્રણ ઈજાગ્રસ્ત

  • October 04, 2024 

ઉતરપ્રદેશનાં મિર્ઝાપુરમાં ગુરુવારે મોડી રાત્રે એક ભયંકર અકસ્માત સર્જાયો હોવાની જાણકારી સામે આવી છે. અહીં ભદોહી જિલ્લામાંથી 13 લોકોને લઈને બનારસ જઈ રહેલા એક ટ્રેક્ટરને એક બેકાબૂ ટ્રકે પાછળથી ફંગોળી નાખ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે આ મામલે FIR નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોમાં મોટાભાગના લોકો શ્રમિકો જ હોવાની જાણકારી મળી રહી છે. આ મામલે પોલીસ અધિકારીએ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, અમને રાતે એક વાગ્યે આજુબાજુ જાણકારી મળી હતી કે મિર્ઝાપુર નજીક અકસ્માત થયાની જાણકારી મળી હતી. જેમાં એક ટ્રેક્ટર વારાણસી તરફ જતું હતું અને તેને એક ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારી હોવાની માહિતી મળી હતી. ટ્રેક્ટરમાં 13 લોકો સવાર હતા અને તેમાંથી 10 લોકો માર્યા ગયા હતા અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બધા પીડિતો મિરઝાપુરના જ રહેવાશી હોવાની જાણકારી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application