Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંધશ્રદ્ધા : વન્યજીવોને પકડી વેચીને રાતોરાત કરોડપતિ થવાના હતા સપના

  • January 01, 2023 

જુનાગઢ ગીરનાર ડીસીએફ અક્ષય જોશીના માર્ગદર્શનમાં કુતિયાણા આરએફઓ પી.કે મોરી દ્વારા સમગ્ર બનાવવાની તપાસ ચલાવવામાં આવી રહી છે જેમાં ચોકાવનારા ઘટસ્ફોટ થયા છે આર્થિક રીતે કંગાળ બની ગયેલા અને કોઈ કામકાજ કર્યા વગર જ રાતોરાત આરોપીઓ કરોડપતિ થવાના સપના જોતા હતા.


આ તમામ આરોપી સોશિયલ મીડિયામાં ગ્રુપ ચલાવતા હતા જેમાં સુલેમાનની પથ્થર,આંધળી ચાકળ, કાચબા, ચંદન ઘો, ઘુવડ, શેરો, કીડીખાઉ સહિતના જૂજ જોવા મળતા વન્યજીવો પકડી કરોડો રૂપિયામાં વેચવા માટે ઘણા સમયથી જ મથામણ કરતા હતા અંધશ્રદ્ધામાં માનતા લોકો દ્વારા તેની મોટી રકમ ચૂકવવામાં આવતી હોય છે તેના માટે અનેક વચ્ચેથી આવો બજારમાં ફરી રહ્યા છે.


આવી જૂજ વસ્તુ ક્યાંય મળે તો તેની કરોડ રૂપિયાની કિંમત આંકી તેને લેવાવાળી ગ્રાહકો શોધતા હોય છે વન વિભાગ દ્વારા પકડાયેલા તમામ આરોપીઓ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હોય અને જુજ જોવા મળતા વન્યજીવો પકડીને તેને વચ્ચેથી આવો મારફત વેચી રાતોરાત કરોડપતિ થવાના સપના જોતા હતા પરંતુ વન વિભાગ એ એક બાદ એક તમામ આરોપીઓને પકડી પાડ્યા છે જેમાં પોરબંદરની એક વૃદ્ધ મહિલા અને એક આરોપીની સઘન શોધખોળ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application