Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : અવતાર રેસીડેન્સીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા 1.38 લાખની મત્તા ચોરી ફરાર

  • December 06, 2020 

સોનગઢમાં ત્રાટકેલા તસ્કરોએ અવતાર રેસીડેન્સીને નિશાન બનાવી કટલરીનો ધંધો કરતા વેપારીના મકાનમાંથી રોકડ અને સોના ચાંદીના દાગીના મળી રૂપિયા 1 લાખ 38 હજાર ની મત્તા ચોરીને ફરાર થઇ ગયા હતા. પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ અવતાર રેસીડેન્સીમાં તા.5-ડિસેમ્બર નારોજ ભરબપોરે મકાન નંબર ડી/143 માં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ મકાનના બંને દરવાજાના તાળું તોડી અંદર પ્રવેશી મકાનમાં કટલરીના સામાન વાળા રૂમમાં ફરીયાદીના બેને એક પ્લાસ્ટિક ના ડબ્બામાં મુકેલ રોકડ રૂપિયા 1 લાખ તથા સોના-ચાંદીના ઘરેણા જેની કિંમત રૂપિયા 38 હજાર મળી કુલ રૂપિયા 1 લાખ 38 હજાર ની મત્તા ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. 

 

 

 

રાજારામ પુનારામ પટેલ રહે, મકાન નંબર ડી/143 અવતાર રેસીડેન્સી તા.સોનગઢ ) નાઓ આશરે 4 વાગ્યા બાદ ઘરે આવ્યા ત્યારે ઘરના દરવાજાને મારેલ તાળા તૂટેલા જોતા આસપાસમાં લોકોની પૂછપરછ કરી હતી. પરંતુ તેઓ પણ ચોરીની બાબતથી અજાણ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના અંગે રાજારામ પટેલએ સોનગઢ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફુટેજના આધારે ચોરનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.(ફોટો યુવરાજ પ્રજાપતિ)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News