Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરનાં સારંગપુર ગામમાં તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા ૧.૮૧ લાખની ચોરી કરી

  • May 05, 2025 

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરનાં સારંગપુર ગામમાં તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા ૧.૮૧ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. મળતી માહિતી મુજબ, અંકલેશ્વરના સારંગપુર ગામે પટેલ ફળિયામાં ત્રાટકેલા તસ્કરોએ એક બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. ખાનગી કંપનીમાં નોકરી કરતા જીતેન્દ્ર પટેલ પરિવાર સાથે ભાણેજના લગ્નમાં દહેજ ગયા હતા. જ્યાંથી પરત ફરતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું જોકે ઘરમાં જોતા તિજોરી ખુલ્લી હતી. તસ્કરો તિજોરીમાંથી સોનાની ચેઈન, બે જોડી બુટ્ટી, ત્રણ પેન્ડલ મળી ૨ તોલા સોનુ અને રોકડા ૫ હજારનો હાથ ફેરો કરી ગયા હતા. ચોરી અંગે જી.આઈ.ડી.સી. પોલીસ મથકે રૂપિયા એક લાખ ૮૧ હજારની ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application