Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજનાથસિંહે વડાપ્રધાન મોદીની માતાને શ્રદ્ધાંજલી આપી : વડાપ્રધાનએ કોઈપણ કાર્યક્રમ રદ ન કરવા જણાવ્યું

  • December 30, 2022 

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી હોવાનું જણાવ્યું છે. તેમણે આજે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યું કે, પડોશી સાથએ સારા સંબંધ રાખવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજુતી કરી શકાય નહી. રાજનાથસિંહે વડાપ્રધાન મોદીની માતા હીરાબાને શ્રદ્ધાંજલી આપતા જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ જ કોઈપણ કાર્યક્રમ રદ ન કરવા જણાવ્યું હતું. કેરળનાં શિવગિરિ મઠની 90મી વાર્ષિક તીર્થયાત્રા દરમિયાન રાજનાથસિંહે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈની એક ટિપ્પણીને યાદ કરી હતી. તેમણે કહ્યું કે, વાજપાઈએ કહ્યું હતું કે, ‘આપણે મિત્ર બદલી શકીએ છીએ, પરંતુ પડોશી નહીં.’ રાજનાથસિંહે કહ્યું કે આપણે પડોશીઓ સાથે સારા અને મિત્રતાભર્યા સંબંધો રાખવા ઈચ્છીએ છીએ, જોકે તેઓની સાથે સારા સંબંધ રાખવા માટે રાષ્ટ્રીય સુરક્ષાને દાવ પર લગાવી શકાય નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application